સતાધારનાં મહંત શામજીબાપુની ૩૯મી પુણ્યતિથી ઉજવણી

શામજીબાપુની પુણ્યતિથી નિમીતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

જૂનાગઢ : જૂનાગઢના ભકત ભુષણ શામજીબાપુની પુણ્યતિથીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સતાધારનાં મહંત શામજીબાપુની ૩૯મી પુણ્યતિથી નિમીતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

જૂનાગઢનાં ટીંબાવાડી સ્થિત શ્યામધામ ખાતે વિશીષ્ટ રીતે શામજીબાપુની પુણ્યતિથી મનાવવામાં આવી હતી. આ તકે સંખ્યાબંધ પરિવારોએ પોતાના ઘરે ઓફિસ વગેરે ખાતેથી શામજીબાપુની પુણ્યતિથીની ઉજવણીમાં ભાગ લીધો હતો. શ્યામધામ ઉપરાંત શ્યામવાડી ખાતે શામજી બાપુની પ્રતિમાનું પુજન અર્ચન કરવામાં આવ્યુ હતુ. કડીયા જ્ઞાતિનાં પ્રમુખ અને પુર્વ મેયર ધીરૂભાઈ ગોહેલનાં માર્ગદર્શનમાં મંત્રી દિનેશભાઈ કાચા, ખજાનચી કિશોરભાઈ ચોટલીયા, જ્ઞાતિ આગેવાનો ગો૨ધનભાઈ ટાંક, વજભાઈ કાચા વિવેકભાઈ ગોહેલ, કાળુભાઈ ચોટલીયા વગેરે ઉપરાંત શ્યામ મહિલા મંડળનાં પ્રમુખ મીનાબેન ગોહ ‘લનાં નેતૃત્વમાં બહેનોએ શામજીબાપુની પુણ્યતિથીની ઉજવણીમાં ભાગ લીધો હતો.