લુખ્ખાઓએ મકાન ખાલી કરાવવા આધેડને દમદાટી આપી માર માર્યો

જૂનાગઢના દીપક પેટ્રોલ પંપ સામના રસ્તે બનેલી ઘટના અંગે આધેડે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : જૂનાગઢમાં લુખ્ખાગીરી ફાટીને ધુમાડે ગઈ છે. આવા એક બનાવમાં ચાર લુખ્ખાઓએ મકાન ખાલી કરાવવા આધેડને દમદાટી આપી માર માર્યો હતો.જૂનાગઢના દીપક પેટ્રોલ પંપ સામના રસ્તે બનેલી ઘટના અંગે આધેડે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

જૂનાગઢના દીપક પેટ્રોલ પંપ સામના રસ્તે ગઈકાલે બનેલી ઘટના અંગે ફરિયાદી જુંજેશ્વર તેજનારાયણ પાસવાન (ઉ.વ.૪૫ રહે.૬૬ કે.વી મહેતાનગર દોલતપરા જુનાગઢ) એ આરોપીઓ બસીર ટકો, રફલો ખાટકી, શબીર ગેડી, અનુબાપુ સામે બી ડિવિજનમાં ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ ફરીયાદીનુ મકાન ખાલી કરવા બાબતે બોલાચાલી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીને લાકડી વડે ડાબા પગમા તથા શરીરે નાની મોટી ઇજાઓ કરી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.