પતિએ વારંવાર માર મારી ત્રાસ આપતા પત્ની ઘર છોડવા મજબૂર બની

કેશોદના રંગપુર ગામેં હાલ પિતાના ઘરે રહેતી પરિણીતાએ તેના પતિ ઉપરાંત સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : કેશોદના રંગપુર ગામેં પતિએ વારંવાર માર મારી ત્રાસ આપતા તેમજ સાસરિયાઓએ પણ ત્રાસ આપતા ત્રાસ સહન ન થતા પરિણીતા ઘર છોડવા મજબૂર બની હતી. આથી આ મામલે કેશોદના રંગપુર ગામેં હાલ પિતાના ઘરે રહેતી પરિણીતાએ તેના પતિ ઉપરાંત સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી શીતલબેન દીપકભાઇ સોદરવા (ઉ.વ.૨૯ રહે.હાલ રંગપુર ગામ પિતાજીના ઘરે, સાસરૂ મુળ ગામ એકલેરા તા.કેશોદ હાલ રહે.શાપર વેરાવળ ખોડલધામ સોસાયટી) એ તેના પતિ દિપકભાઇ નાનજેભાઇ સોદરવા (ઉ.વ.૨૮), સસરા-નાનજીભાઇ ધાનાભાઇ સોદરવા, સાસુ-મીનાબેન નાનજીભાઇ (રહે.બધા એકલેરા તા.કેશોદ હાલ શાપર વેરાવળ ખોડલધામ સોસાયટી) ફરીયાદી બેનને તેઓના લગ્ન સમયગાળા દરમ્યાન તેઓના પતિ તથા સાસુ એ શારિરીક તથા માનસીક દુખત્રાસ આપી મેણા ટોણા મારી ગાળો બોલી ફરીયાદીને તેઓના પતિએ અનાર નવાર શરીરે ઢીકાપાટુ નો માર મારી મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.