ચોથી ડિલેવરીએ ટિવન્સ બાળકોને જન્મ આપ્યા બાદ માતાએ પરલોકની વાટ પકડી

માણાવદરના થાનીયાણા ગામેં પ્રસુતિ દરમિયાન વધુ પ્રમાણમાં રક્તસ્ત્રાવ થતા સર્ગભાની ચોથી ડિલેવરી પ્રાણઘાતક નીવડી

જૂનાગઢ : માણાવદરના થાનીયાણા ગામેં પ્રસુતિ દરમિયાન વધુ પ્રમાણમાં રક્તસ્ત્રાવ થતા સર્ગભાની ચોથી ડિલેવરી પ્રાણઘાતક નીવડી હતી. જેમાં ચોથી ડિલેવરીએ ટિવન્સ બાળકોને જન્મ આપ્યા બાદ માતાએ પરલોક વાટ પકડી હતી.

માણાવદર પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર પરમીલાબેન રાકેશભાઇ ઠાકરે (ઉ.વ.૩૦ રહે. હાલ થાનીયાણા ગામની સીમમા તા.માણાવદર મુળ રહે. લોનખેડા ગામ તા.સાદા જી. નંદુરબાર-મહારાષ્ટ્ર) નામની મહિલાને ચોથી ડીલેવરી હોય અને સાતમો મહિનો પેટ ચાલતો હોય અને અચાનક પ્રસુતિનો દુઃખાવો ઉપડતા તેને ડીલેવરી ઘરે જ થતા દિકરો દિકરીનો જન્મ થયેલ અને ડીલેવરી દરમ્યાન ખુબજ વધુ પ્રમાણમા લોહી વહી જતા તેમને ગઈકાલે ગંભીર હાલતમાં ઉપલેટા સરકારી દવાખાનામા સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. માતાના અચાનક મોતથી ટિવન્સ બાળકોને જન્મતાની સાથે માતાની છત્રછાયા ગુમાવતા અરેરાટી મચી ગઇ હતી.