મિલ્કતમાથી ભાગ આપવાની ના પાડતા એકજ પરિવારમાં બઘડાટી

ચોરવાડમાં રહેતા પરિવારમાં ડખ્ખો થતા આધેડને પરિવારના અન્ય ત્રણ વ્યક્તિઓએ માર માર્યો

જૂનાગઢ : જૂનાગઢના ચોરવાડમાં રહેતા પરિવારમાં મિલ્કતની ભાગબટાઈ મામલે ડખ્ખો થયો હતો.જેમાં આધેડે તેમના પરિવારના અન્ય વ્યક્તિને મિલ્કતમાથી ભાગ આપવાની ના પાડતા એકજ પરિવારમાં બઘડાટી બોલી ગઈ હતી અને આધેડને પરિવારના અન્ય ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હતો.

ચોરવાડ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ભીખાભાઇ દુદાભાઇ પરમાર( ઉ.વ.૫૨, રહે.ચોરવાડ, પંડીત શેરી તા.માળીયા હાટીના)એ આરોપીઓ હીરાભાઇ ભીખાભાઇ પરમાર, મનાભાઇ રૂડાભાઇ ચુડાસમા, મોહનભાઇ રૂડાભાઇ ચુડાસમા (રહે.બઘા ચોરવાડ ફુલવાઇની બાજુમાં વિસણવેલ રોડ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓ ફરીયાદીની ઘરે જઇ એક આરોપીએ ફરિયાદીની પાસેથી મિલ્કતમાંથી ભાગ જોતો હોય અને ફરીયાદીએ મિલ્કતમાથી ભાગ આપવાની ના પાડતા આરોપીઓ એકદમ ઉશ્કેરાય જઇ ગાળો કાઢી લાકડાંના ધોકા વડે ફરીયાદી તથા સાહેદોને શરીરે માર મારી જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી. આ બનાવની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે.