જૂનાગઢના સાંખડાવદર ગામના ખેડૂતને અકસ્માત વીમા અંતર્ગત રૂપિયા એક લાખનો ચેક અર્પણ કરાયો

સરકાર આપને દ્વાર ના સુત્રને સાર્થક કરતા જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના ચેરમેન કિરીટ પટેલ

જૂનાગઢ : જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને અકસ્માતે મૃત્યુના કિસ્સામાં પ્રિમિયમ ચુકવવામાં આવે છે ત્યારે તાલુકાના સાંખડાવદર ગામના ખેડૂતના મૃત્યુના કિસ્સામાં ખેડૂત પરિવારને યાર્ડના ચેરમેન દ્વારા રૂબરૂ સહાયનો ચેક અર્પણ કરાયો હતો.

જૂનાગઢ તાલુકાના યાર્ડ ખાતે નોંધાયેલા ખેડૂતોનું અકસ્માતે મોત થવાના બનાવમાં એમને સહાય મળી રહે તેવા શુભ હેતુ સાથે માર્કેટિંગ યાર્ડ ખેડૂતોની મદદ કરી રહી છે, ત્યારે જૂનાગઢ તાલુકાના સાંખડાવદર ગામે રહેતા હરસુખભાઈ નાથાભાઈ ભીમાણીનું વાડીએ કામ કરતા હતા ત્યારે ગત તારીખ ૨૬.૧૦.૨૦૨૧ના રોજ અકસ્માત માતે મૃત્યુ થતાં તેમના મૃત્યુની નોંધ અરજી સ્વરૂપે માર્કેટિંગ યાર્ડ ખાતે આવતા જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના ચેરમેન કિરીટ પટેલ અને સર્વે ડિરેક્ટરોએ જરૂરી અરજી ની ખરાઇ કર્યા બાદ સત્વરે જરૂરી કાર્યવાહી કરીને તેમને તાત્કાલિક સહાય મળી રહે એ હેતુસર પોલીસી ડિપાર્ટમેન્ટમાં મોકલી તાત્કાલિક અસરથી સહાય મંજૂર કરાવીને જુનાગઢ શ્રી સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન કિરીટ પટેલ જૂનાગઢ તાલુકાના સાખડાવદર ગામખાતે મૃતક હરસુખભાઈ નાથાભાઈ ભીમાણીના નિવાસ સ્થાને રૂબરૂ પહોંચ્યા હતા,અને માર્કેટિંગ યાર્ડ જુનાગઢ દ્વારા ખેડૂત અકસ્માત પોલીસી અંતર્ગત મૃત્યુ પામેલા હરસુખભાઈ નાથાભાઈ ભીમાણી ના વારસદાર તેમના ધર્મ પત્ની ચંદ્રિકાબેન હરસુખભાઈ ભીમાણી ને રૂપિયા એક લાખનો ચેક પોતાના હાથે અર્પણ કર્યો હતો, એ સાથે માર્કેટિંગ યાર્ડના આસી.સેક્રેટરી દિવ્યેશભાઈ ગજેરા એ તમામ ફોર્માલીટી પૂરી કરી હતી.

ચેક અર્પણ કરતી વેળાએ સાંખડાવદર ગામના આગેવાનો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સરકાર આપને દ્વાર એ સૂત્રને જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના ચેરમેન કિરીટભાઇ પટેલે અકસ્માત મૃત્યુ અંગેની સહાયની રકમનો ચેક પોતે રૂબરૂ જઇને વારસદાર સુધી પહોંચાડીને સૂત્રને સાર્થક કરી બતાવ્યું છે.