જૂનાગઢ : કાશ્મીરી બાપુનો જીવનદીપ બુઝાયો

સંત કાશ્મીરી બાપુના નિધનથી ગિરનારના સાધુ સંતો અને ભાવિકોમાં ઘેરાશોક

જૂનાગઢ : આજે સંત કાશ્મીરી બાપુનો જીવનદીપ બુઝાયો હતો. સંત કાશ્મીરી બાપુના નિધનથી ગિરનારના સાધુ સંતો અને ભાવિકોમાં ઘેરાશોક વ્યાપી ગયો છે.

સંત કાશ્મીરી બાપુનું આજે નિધન થયું છે. તેઓએ પોતાની યુવા અવસ્થામાં ગિરનાર પર દત ભગવાનનું વર્ષો સુધી તપ કર્યું હતું અને સિદ્ધહસ્ત તરીકે પૂજનીય ગણાતા કાશ્મીરી બાપુનું 97 વર્ષની વયે અવસાન થયું છે. તેઓએ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. થોડા દિવસો પહેલા જ ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા. ત્યારે આજે તેમનો દેહવિલય થતા ગિરનારના સાધુ સંતો અને ભાવિકોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે