જૂનાગઢ શહેરના ગણેશનગરમાં સિંહ ચડી આવ્યો : મારણ કર્યું

ગિરનાર દરવાજા નજીક સિંહ આવી ચડતા લોકોમાં ફફડાટ

જૂનાગઢ : જંગલના રાજા સિંહને હવે જંગલ ટૂંકું પડી રહ્યું હોય તેવા ઘાટ વચ્ચે આજે ગિરનાર દરવાજા નજીક આવેલા ગણેશનગરમા સિંહ આવી ચડ્યો હતો અને મારણ કરી મિજબાની કરતા સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ આજે જુનાગઢ શહેરના ગીરનાર દરવાજા નજીક આવેલ ગણેશનગર વિસ્તારમાં સિંહ ચડી આવ્યો હતો. રાત્રીના સમયે ગણેશનગરમાં આવી ચડેલા સિંહે મારણ કરી મિજબાની પણ માણતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ભવનાથ તળેટીમાં સિંહના આંટાફેરા જોવા મળ્યા બાદ આજે શહેરના ગીરનાર દરવાજા નજીક ગણેશનગરમાં સરકારી શાળા પાસે આવી ચડેલા સિંહે મારણ કરતા આસપાસના વિસ્તારોમાંથી લોકો સિંહને જોવા ઉમટી પડ્યા હતા અને લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો.