હવે પાછી અહી આવીશ તો જાનથી મારી નાખીશ કહી પતિએ પત્નીને માર માર્યો

ગીર સોમનાથમાં સાસરું ધરાવતી અને હાલ કેશોદ રહેતી પરિણીતાએ ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : ગીર સોમનાથમાં સાસરું ધરાવતી અને હાલ કેશોદ રહેતી પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે કે, હવે પાછી અહી આવીશ તો જાનથી મારી નાખીશ તેમ કહી પતિએ પત્નીને માર માર્યો હતો. હાલ આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી જયાબેન મહેશભાઇ ચાવડા (ઉ.વ.૨૫ રહે.તળ તા.ઉના જી.ગીર સોમનાથ હાલ મંગલપુર તા.કેશોદ) એ તેના પતિ મહેશભાઇ આંણદભાઇ ચાવડા તેમજ હંશાબેન ચાવડા (રહે.તળ તા.ઉના જી.ગીર સોમનાથ) સામેં ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ અવારનવાર મેણા ટોણા મારી શારીરીક માનસીક દુખત્રાસ આપી ગાળો કાઢી મને શરીરે મુઢમાર મારી અને હવે પાછી અહી આવીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.