ઘરકામ તથા કરીયાવર બાબતે પરિણીતાને ત્રાસ

ગીર સોમનાથમાં પરણેલી અને હાલ માળીયા હાટીનામાં રહેતી પરિણીતાએ પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : ગીર સોમનાથમાં પરણેલી અને હાલ જૂનાગઢના માળીયા હાટીનામાં પિયરે રહેતી પરિણીતાએ પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઘરકામ તથા કરીયાવર બાબતે પરિણીતાને પતિ અને સાસરિયાઓએ શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

માળીયા (હા.) પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી અંજનાબેન હરીભાઇ વાણવી (ઉ.વ.૩૫ રહે.ગોવિંદપરા ગામ તા.વેરાવળ જી.ગીર સોમનાથ હાલ- અમરાપુર ગામ તા.માળીયા હાટીના) એ તેના પતિ- હરીભાઇ જેઠાભાઇ વાણવી, સસરા-જેઠાભાઇ મુળાભાઇ, સાસુ-દેવુબેન જેઠાભાઇ, નણંદ – જયાબેન જેન્તીભાઇ જાદવ, નંણદ- કમળાબેન જેન્તીભાઇ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ ફરીયાદીને ઘરકામ તથા કરીયાવર બાબતે મેણા ટોણા મારી ગાળો બોલી ઢીકાપાટુનો મુઢ માર મારી શારીરીક માનસિક દુઃખ ત્રાસ આપી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.