કેશોદ : મંદિરેના દર્શન કરવા ગયાને બાઈક ઉપડી ગયું

જૂનાગઢ : કેશોદમાં માતાજીના દર્શન કરી પરત આવતી વખતે બાઇકની ઉઠાંતરી થયાની બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે વિજયભાઈ મુળુભાઈ બાબરીયા (ઉ.વ.૩૩ રહે.શેરગઢ વાડી વિસ્તાર તા.કેશોદ જી.જુનાગઢ) એ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ પોતાના હવાલાના બાઈક નંબર GJ-11-BS-0697 ની કાળા કલર ની કિ.રુ.આશરે ૨૫૦૦૦ લઈ કેશોદના શેરગઢ ગામે આવેલ શીતળા માતાજીના મંદીરે દર્શન કરવા ગયેલ હોય અને દર્શન કરી પરત આવતા કોઈ અજાણ્યો ચોર ઈસમ તેમના બાઇકની ચોરી કરી લઈ ગયો હતો. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.