જૂનાગઢમાં કોરોના તળિયે : માત્ર 25 કેસ

આજે જૂનાગઢ જિલ્લામાં 53 દર્દીઓ સાજા નરવા થયા

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં કોરોના સંક્રમણ ધીમે ધીમે કાબુમાં આવી રહ્યું હોય તેવી સ્થિતિ વચ્ચે આજે કોરોના જાણે તળિયે બેસી ગયો હોય તેમ નવા 29 પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે. બીજી તરફ આજે શહેર અને જિલ્લાના 53 દર્દીઓ સાજા નરવા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું.

જુનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લામાં 29 નવા પોઝિટિવ કેસ ટેસ્ટિંગ દરમિયાન સામે આવ્યા છે. જેમાં જૂનાગઢ શહેરમાં 16, ગ્રામ્યમાં 5, કેશોદમાં 1, માળીયામાં 1, ભેસાણ 1, માણાવદરમાં 0, મેંદરડા 0, માંગરોળમાં 0, વંથલીમાં 1 અને વિસાવદરમાં 4 કેસ સામે આવ્યા છે.

જો કે છેલ્લા 24 કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લામાં રિકવરી રેટ જળવાયેલ રહેતા 53 દર્દીઓ કોરોનાને હરાવી સાજા થતા તેઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યુ છે.

આરોગ્ય વિભાગ દ્વારા શહેર અને જિલ્લામાં 47 આરોગ્ય રથ મારફતે 4486 નાગરિકોને તપાસી આરોગ્યવર્ધક દવા આપવામાં આવી હતી. તેમજ શહેર અને ગ્રામ્યના મળી કુલ 12153 નાગરિકોને કોરોના વેકસીન આપી સુરક્ષિત કરવામાં આવ્યા હતા.