હવસ સંતોષી લીધા બાદ વાસનાંધ શખ્સે માર મારી મહિલાને ઘરેથી હાંકી કાઢી

તાલાળા કેશોદમાં માલેતુજાર શખ્સે અલગ અલગ ફોર્મ હાઉસ તથા હોટલો અને ઘરે મહિલા ઉપર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : તાલાળા કેશોદમાં માલેતુજાર શખ્સે અલગ અલગ ફોર્મ હાઉસ તથા હોટલો અને ઘરે મહિલા ઉપર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં હવસ સંતોષી લીધા બાદ વાસનાંધ શખ્સે માર મારી મહિલાને ઘરેથી હાંકી કાઢી હતી. આથી મહિલાએ ફરિયાદ નોંધાવતા હવસખોરની હવસલીલાનો ભાંડાફોડ થયો છે.

કેશોદમાં રહેતી એક મહિલાએ આરોપી વીપુલ મનસુખભાઇ હીંગરાજીયા (રહે. બસસ્ટેશનની પાછળ અમ્રુતનગર વ્રજ એવન્યુ બ્લોક નં ૬૦૪ કેશોદ) સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ ફરીયાદીને લગ્ન કરવાની લાલચ આપી ફરીયાદીને અલગ અલગ ફોર્મ હાઉસ તથા હોટલોમાં તથા આરોપીએ પોતાના ઘરે લઇ જઇ ફરીયાદીની મરજી વિરૂધ્ધ ફરીયાદી સાથે અવાર નવાર બળાત્કાર કરી તે બાદ ફરીયાદીને શરીરે આડેધડ માર મારી હુ તારી સાથે લગ્ન કરવાનો નથી તુ અહીથી જતી રહે નહીતર જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ફરીયાદીને તેના ઘરેથી તગેડી મુકી હતી. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.