ઘરકંકાસમાં પતિએ પત્નીને માર માર્યો

રાજકોટમાં સાસરિયું ધરાવતી અને હાલ.પિયર કેશોદમાં રહેતી પરિણીતાએ પતિ ઉપરાંત સાસરિયા સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : રાજકોટમાં સાસરિયું ધરાવતી અને હાલ.પિયર કેશોદમાં રહેતી પરિણીતાએ પતિ ઉપરાંત સાસરિયા સામે શારિરીક તથા માનસીક દુખત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં ઘરકંકાસમાં પતિએ પત્નીને માર માર્યો અને સાસરિયાઓ ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી સુધાબેન હિતેષભાઇ બુહેચા (ઉ.વ.૩૫ રહે.શ્રીજી એવન્યુ, પહેલો માળ, બ્લોક નં.૦૫, માધાપર ચોકડી, ૧૫૦ ફુટ રીંગરોડ, રાજકોટ હાલ રહે.સોમનાથ સોસાયટી, એરપોર્ટ રોડ, કેશોદ પિતા- વેલજીભાઇ લખમણભાઇ ચાવડાના ઘરે) એ તેના પતિ હિતેષ શાંન્તિલાલ બુહેચા (રહે. શ્રીજી એવન્યુ, પહેલો માળ, બ્લોક નં.૦૫, માધાપર ચોકડી, ૧૫૦ ફુટ રીંગરોડ, રાજકોટ હાલ રહે.નિરમા કોલોની ભાવનગર), સસરા શાંન્તિલાલ બુહેચા, સાસુ નર્મદાબેન શાંન્તિલાલ બુહેચા, દેરાણી બંસીબેન હેમલભાઇ બુહેચા (રહે શ્રીજી એવન્યુ, પહેલો માળ, બ્લોક નં.૦૫, માધાપર ચોકડી, ૧૫૦ ફુટ રીંગરોડ, રાજકોટ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી બેનને તેઓના લગ્નજીવન સમયગાળા દરમ્યાન તેઓના પતિ તથા સાસુ-સસરા તથા દેરાણી બંસીબેનએ શારિરીક તથા માનસીક દુખત્રાસ આપી ફરીયાદીના પતિએ ફરીયાદી બહેનને ભુંડી ગાળો આપી શરીરે ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.