મેંદરડાના રાજાવાડ ગામના આધેડ લાપતા

જૂનાગઢ : મેંદરડાના રાજાવાડ ગામ ખાતે રહેતા ૪૫ વર્ષીય નારણભાઇ અરજણભાઇ પીઠિયા તા.૨૮/૧/૨૦૨૨ના રોજ ૬ વાગ્યા આસપાસ પોતાના ઘરેથી ગુમ થયા છે. તેમની ઉંચાઇ ૫.૬ ફુટ, બાંધો મજબુત અને રંગ શ્યામ વર્ણો છે. તેમના જમણા હાથના પોંચા ઉપર ત્રાજવાથી ઓમ ત્રોફાવેલ છે. આ નારણભાઇની કોઇને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા મેંદરડા પોલીસે જણાવ્યું છે.