માણાવદરમાં વૃદ્ધે ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં વૃદ્ધે ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની માણાવદર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર આંબાભાઈ ઘેલાભાઈ ફળદુ (ઉ.વ.૬૫ રહે.કામદાર સોસાયટી માણાવદર) નામના વૃદ્ધે ગઈકાલે કોઈ કારણોસર પોતાના છતમા લગાડેલ પંખા સાથે આછી શાલ બાંધી પોતાની મેળે ગળાફાસો ખાઈ જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની પોલીસે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.