સર્ગભા હોવા છતાં પત્નીને મારકૂટ કરતો દયાહીન પતિ

જૂનાગઢના ધરારનગરમાં આવેલ લીરબાઇપરામાં બનેલા બનાવમાં પતિ તથા સાસુ સામે ફરિયાદ

જૂનાગઢ : જૂનાગઢના ધરારનગરમાં આવેલ લીરબાઇપરામાં સર્ગભા હોવા છતાં પત્નીને પતિએ મારકૂટ કરી હતી. તેમજ પતિ અને સાસુ પરિણીતાને શારીરિક માનસિક દુઃખત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાતા મહિલા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ મહીલા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી હેતલબેન દીપકભાઇ વાઘેલા (રહે.ધરાનગર લીરબાઇપરા જુનાગઢ) એ આરોપીઓ દીપકભાઇ રમેશભાઇ વાઘેલા (પતિ), કંચનબેન રમેશભાઇ વાઘેલા (સાસુ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી બેનને તેના પતિએ પ્રેગ્નેટ હોવા છતા ઝાપટ મારતા અને તેના સાસુ એ તેના માવતર સામે ગાળો બોલી અને ફરિયાદીને ચકકર આવતા નીચે પડી જતા ફરિયાદીના પતિએ ગાળો આપી મારકુટ કરી તથા બંને મા દીકરાએ શારીરીક માનસીક દુખત્રાસ આપ્યો હતો. આ બનાવની મહિલા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.