જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 47 કેસ : 84 દર્દી ડિસ્ચાર્જ

જિલ્લામાં રિકવરી રેટમાં જળવતા પોઝિટિવની સરખામણીએ બમણા જેવા દર્દી સાજા

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં આજે ફરી સંક્રમણમાં ઘટાડો આવ્યો હોય તેમ નવા 47 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. બીજી તરફ રિકવરી રેટમાં સતત વધારો ચાલુ રહેતા આજે 84 દર્દીઓ કોરોનાને હરાવી સાજા થયા છે.

જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લામાં નવા 47 પોઝિટિવ કેસ ટેસ્ટિંગ દરમિયાન સામે આવ્યા છે. જેમાં જૂનાગઢ શહેરમાં 26, ગ્રામ્યમાં 7, કેશોદમાં 4, ભેસાણમાં 3, માળિયામાં 1, માણાવદરમાં 3, વંથલીમાં 2 અને વિસાવદરમાં 1 કેસ સામે આવ્યા છે.

જો કે છેલ્લા 24 કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લામાં રિકવરી રેટ પણ જળવાયેલો રહેતા 84 દર્દીઓ કોરોનાને હરાવી સાજા થતા તેઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યુ છે. આરોગ્ય વિભાગ દ્વારા શહેર અને જિલ્લામાં 47 આરોગ્ય રથ મારફતે 4537 નાગરિકોને તપાસી આરોગ્યવર્ધક દવા આપવામાં આવી હતી. તેમજ શહેર અને ગ્રામ્યના મળી કુલ 7224 નાગરિકોને કોરોના વેકસીન આપી સુરક્ષિત કરવામાં આવ્યા હતા.