પત્નીના ચારીત્ર્ય ઉપર શંકા કરી પતિએ માર માર્યો

વંથલીના ગોદાઇ ગામના બનાવમાં પત્નીએ પતિ સામે નોંધાવી ફરિયાદ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના વંથલીના ગોદાઇ ગામેં પત્નીના ચારીત્ર્ય ઉપર શંકા કરી પતિએ માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં લગ્નજીવનના એક વર્ષ બાદ કરિયાવર તેમજ ઘરખર્ચ બાબતે પતિએ પતિને ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ નોંધાતા મહિલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢના મહીલા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી અકિલાબેન સાજીદભાઇ સીડા (ઉ.વ.૩૦ રહે.ગાદોઇ તા.વંથલી હાલ રહે.ખામધ્રોળ હર્ષદનગર તૈબાહ મસ્જીદ પાસે જુનાગઢ)એ તેના પતિ સાજીદભાઇ કાસમભાઇ સીડા (રહે ગાદોઇ મસ્જીદ પાસે તા વંથલી જી જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયફી બેનને તેના લગ્નજીવનના એક વર્ષ બાદ ફરિયાદીના પતિ કરિયાવર બાબતે મેણાટોણા બોલી તથા ફરીયાદી બેન ઘરખર્ચ માટેના પૈસા માંગતી તો આરોપી પૈસા આપવા બદલે ગાળો બોલી તેમજ ફરિયાદી બેનના ચારીત્ર્ય ઉપર ખોટી શંકા કરી મારકુટ કરી શારીરીક માનસીક દુખત્રાસ આપ્યો હોવાની ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.