પરિણીતાને છૂટાછેડા આપવા દબાણ કરી પતિ-સાસરિયાએ ત્રાસ આપ્યો

રાજકોટમાં સાસરિયું ધરાવતી અને હાલ પિયર જૂનાગઢમાં રહેતી પરિણીતાએ ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : રાજકોટમાં સાસરિયું ધરાવતી અને હાલ પિયર જૂનાગઢમાં રહેતી પરિણીતાએ તેના રાજકોટમાં રહેતા પતિ અને સાસરિયા વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં પરિણીતાને છૂટાછેડા આપવા દબાણ કરી પતિ-સાસરિયાએ ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ મહીલા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત આ બનાવની વિગતો અનુસાર ફરિયાદી ખુશ્બુબેન આશીષભાઇ મેદપરા (રહે.રાજકોટ કોઠારીયા રોડ હરિધવા માર્ગ પટેલ ચોક અયોધ્યા સોસાયટી શેરી ન.૭ ક્રીષ્ના સિલેકશન હાલ-મજેવડી ખરાવાડ પ્લોટ ગોકુલનગર શેરી ન.–૩ પ્રફુલભાઇ ગોવીદભાઇ પોકીયાના ઘરે)એ આરોપીઓ આશીષભાઇ સવજીભાાઇ મેંદપરા (પતિ), સવજીભાાઇ મોહનભાઇ મેંદપરા (સસરા), ભગવતીબેન સવજીભાઇ મેંદપરા (સાસુ), પ્રિયંકાબેન વા/ઓફ નયનભાઇ ડોબરીયા (નણંદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી બેનને રાજકોટમાં તેના લગ્ન જીવનના પોણા બે વર્ષ બાદ ફરિયાદીના સાસુ તથા સસરા તથા પતિ ઘરકામ બાબતે તથા કરિયાવર બાબતે મેણાટોણા મારી શારીરીક માનસીક દુખત્રાસ આપી ફરિયાદીના પતિ ફરિયાદી બેનને છુટાછેડા આપવા માટે અવારનવાર કહી અને ગાળો આપી મારકુટ કરી સાસરિયાઓએ ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.