મકાનના મનદુઃખનું સામાધાન કરવા મામલે પરિણીતા ઉપર હુમલો

જૂનાગઢના હુડકો પોલીસ લાઇન પાછળ જકાતનાકા પાસે આવેલ પાઠકનગરમાં થયેલી મારમારી મામલે ત્રણ મહિલા સહિત 4 સામે ફરિયાદ

જૂનાગઢ : જૂનાગઢના હુડકો પોલીસ લાઇન પાછળ જકાતનાકા પાસે આવેલ પાઠકનગરમાં મકાનના મનદુઃખનું સામાધાન કરવા મામલે યુવાન ઉપર હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં ત્રણ મહિલા સહિત ચાર વ્યક્તિએ યુવાનને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ સી ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વિલાસબેન રવિભાઇ સોલંકી (ઉ.વ ૨૯ રહે. પાઠકનગર હુડ્કો પોલીસ લાઇન પાછળ જકાતનાકા પાસે જુનાગઢ)એ આરોપીઓ કિશોરભાઇ સોમાભાઇ સોલંકી, દીવ્યા, હીના, પુજા ઉર્ફે કાળી સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના રહેણાક મકાન બાબતે ફરીયાદી તથા આરોપીઓ વચ્ચે મનદુ:ખ ચાલુતુ હોય જે વાતચીત ચાલુ હોયને દરમ્યાન આરોપીએ ફરીયાદીને સમાધાન માટે વાત કરી સમાધાન નહી કરી ફરીને ગાળો કાઢી આડેધડ ઢીકાપાટુથી માર મારી તથા લોખંડના પાઇપ વડે કપાળમાં ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.