જૂનાગઢ જિલ્લામાં બોટ માલિકો સંપર્ક ન થતો હોય તો સંબંધિત એજન્સીને જાણ કરવી આવશ્યક

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આગામી 60 દિવસ માટે જાહેરનામું અમલી

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લો વિશાળ દરિયાકિનારો ધરાવે છે. મોટા પ્રમાણમાં માછીમારી માટે બોટો દરિયામાં જાય છે. બોટ, વહાણ સાથે જતા લોકોની સલામતી-સુરક્ષા માટે તકેદારીના પગલા સંદર્ભે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એલ.બી.બાંભણિયા દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા મુજબ જૂનાગઢ જિલ્લાના વહાણ, બોટ માલિકોને જ્યારે પોતાનું વહાણ, બોટ માછીમારી માટે દરિયામાં જાય તેમજ વાતાવરણીય કારણોસર, ચાંચિયાઓ દ્વારા અપહરણ થવાના કારણ કે કોઈ અન્ય પણ કારણોસર વહાંણ, બોટ ગુમ થાય કે સંપર્ક નિશ્ચિત સમયગાળા બાદ ન થતો હોય તો તે બાબતની જાણ પત્રકની વિગતો સહિતની સંબંધિત તમામ સરકારી એજન્સીઓ ન જાણ કરવી ફરજીયાત છે.

જેમાં પ્રથમ વહાણ, બોટનું નામ તથા નંબર, બીજામાં વહાણ, બોટ માલિકનું નામ તથા સરનામું તથા સંપર્ક નંબર, ત્રણમાં વહાણ, બોટમાં રવાના થયેલ ખલાસીઓના નામ તથા સરનામાની વિગત, પાંચમા વહાણ, બોટ રવાના થયાની તારીખ, સમય તથા સ્થળ, છઠ્ઠામાં વહાણ બોટ પરત આવવાની સંભવિત તારીખ, અન્ય જરૂરી વિગતો સાથે જાણ કરવાની રહેશે. આ જાહેરનામાનો હુકમ તાત્કાલિક અસરથી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે.