જુના મનદુઃખ વચ્ચે પણ નવો સબંધ બંધાતા સબંધીઓમાં બઘડાટી

માંગરોળના ગુલજાર ચોકમાં થયેલી મારામારીમાં ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં રહેતા બે સંબંધીઓ વચ્ચે જુના મનદુઃખનું સામાધન ન થયું હોય ત્યાં ફરી એક નવો સબંધ બંધાતા મામલો બીચકયો હતો. જેમાં એક પક્ષના લોકોએ સામાપક્ષના પરિવાર ઉપર હુમલો કર્યો હતો. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણ વ્યક્તિ સામે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

માંગરોળ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી જમીલાબેન ફારૂકભાઇ મીર (ઉ.વ.૪૫ રહે.માંગરોળ ગુલઝાર ચોક ખાટકીવાળા લાડુ ફળીયા તા.માંગરોળ) એ આરોપીઓ મોહસીન સલીમ રફાઇ (રહે.રાજકોટ), સેજાદ સલીમ, શાહનવાજ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીની દિકરી રિસામણે હોય અન ભરણ પોષણનો કેસ ચાલુ હોય એક આરોપીની બહેન સાથે ફરીયાદીના દિકરાની સગાઇ થયેલ જેથી આરોપીઓ નારાજ હોય જેનું મનદુઃખ રાખી ફરીયાદી તથા તેના પરીવારને ત્રણેય આરોપીઓએ ઢીકાપાટુનો તેમજ લાકડી વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.