લીંબુડા ગામે પરિણીતાએ ઝેરી ટીકડા ખાઇ જીવન ટૂંકાવ્યું

જૂનાગઢ : માણાવદરમાં રહેતી પરિણીતાએ ઝેરી ટીકડા ખાઇ જીવન ટૂંકાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

માણાવદરમાં રહેતા 25 વર્ષીય શીવાનીબેન ઘવલભાઇ રબારાએ ગત તા. 25ના રોજ લીંબુડા ગામે કોઇપણ કારણોસર ઘઉમાં નાખવાના ઝેરી ટીકડા ખાઇ આપઘાત કરી લીધો હતો. ઉલ્લેખનીય છે કે મૃતક પરિણીતાનો લગ્નગાળો 3 વર્ષનો છે. આ બનાવ અંગે બાંટવા પોલીસ સ્ટેશનમાં નોંધ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.