જુનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે “મન કી બાત” કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઈ

જિલ્લા અધ્યક્ષ કિરીટ પટેલની રાહબરી હેઠળ “મન કી બાત” કાર્યક્રમના જીલ્લા ઈન્ચાર્જશ હુસેન દલના અધ્યક્ષ સ્થાને મળી બેઠક

જૂનાગઢ : જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય પંડીત દીનદયાલ ભવન ખાતે મન કી બાત કાર્યક્રમના ઈન્ચાર્જ સહ ઇન્ચાર્જની બેઠક મળી હતી જેમાં આગામી તા.30 જાન્યુઆરીના રોજ પ્રસારીત થનાર મન કી બાત કાર્યક્રમને જુનાગઢ જીલ્લાના તમામ બુથ ઉપર દર્શાવવા માટેનું આયોજન કરાયું હતું.

જુનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે મન કી બાત કાર્યક્રમના જીલ્લા ઈન્ચાર્જ હુસેન દલના અધ્યક્ષ સ્થાને મળેલ આ મીટીંગમાં માંગરોળ વિધાન સભાના ઈન્ચાર્જ ભરતભાઈ ચારીયા, માણાવદર વિધાનસભાના ઈન્ચાર્જ દિનેશભાઈ ટીલવા તથા મંડળના ઈન્ચાર્જ,.સહ ઈન્ચાર્જ હાજર રહ્યા હતા. જીલ્લા ઈન્ચાર્જ હુસેન દલ એ તથા માંગરોળ વિધાનસભાના ઈન્ચાર્જ ભરતભાઈ ચારીયાએ કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપેલ હતું.

માણાવદર વિધાનસભાના ઈન્ચાર્જ દિનેશભાઈ ટીલવાએ હાજર રહેલા મંડળના તમામ ઈન્ચાર્જ, સહ ઈન્ચાર્જની હાજરીની નોંધ લઈ હાજર રહેલાં સૌનો આભાર માનેલ હતો. વિસાવદર વિધાનસભાના ઈન્ચાર્જ ગાંડુભાઈ કથિરીયા નાંદુરસ્ત તબિયતના કારણે અને કેશોદ વિધાનસભાના ઈન્ચાર્જ અજીતભાઈ વાઢેર આઉટ ઓફ સ્ટેટ હોવાના કારણે હાજર રહી શકેલ ન હતા.

આ બેઠકમાં જુનાગઢ તાલુકો, મેંદરડા તાલુકો, વંથલી તાલુકો, વંથલી શહેર, માણાવદર શહેર, બાંટવા શહેર, કેશોદ તાલુકો એટલા ૭ મંડળના ઈન્ચાર્જ, સહ ઈન્ચાર્જો હાજર રહેલ હતા. જીલ્લાના તમામ બુથમાં આગામી ‘મન કી બાત’ કાર્યક્રમ થાય એ માટે તમામ મંડળ ઈન્ચાર્જ, સહ ઈન્ચાર્જોને સુચના આપવામાં આવી હતી. જેનું મોનીટરીંગ કરવા માટે વિધાનસભા ઈન્ચાર્જને સુચના આપવામાં આવી હતી.