માણાવદર : નેનો કારચાલકે છકડાને હડફેટે લઈ ચાલકને પરલોક પહોંચાડ્યા

જૂનાગઢ : જૂનાગઢના માણાવદરના નાનડીયા ગામે વડાળા ગામ તરફ જતા રોડ ઉપર નેનો કારચાલકે છકડાને હડફેટે લેતા છકડો રીક્ષા ચાલકનું મોત નીપજ્યું હતું. આ બનાવની.પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી વલ્લભભાઇ મુળુભાઇ પરમાર (ઉ.વ.૪૩ રહે.ફુલરામા ગામ તા.માંગરોળ જી.જુનાગઢ)એ આરોપી ટાટા નેનો ફોર વ્હીલ રજી.નંબર-જી.જે.૧૧-એ.બી.૧૭૧૫ નો ચાલક જયસુખભાઇ હરીભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૬ના રોજ માણાવદરના નાનડીયા ગામે વડાળા ગામ તરફ જતા રોડ ઉપર આરોપીએ પોતાના હવાલાની નેનો ફોર વ્હીલ નંબર-જી.જે.૧૧-એ.બી.૧૭૧૫ વાળી પુર ઝડપે અને ગફલત ભરી રીતે માણસની જીંદગી જોખમાય તે રીતે ચલાવી ફરીયાદીનાં ભાઇ કેશુભાઇની છકડો રીક્ષા નંબર-જી.જે.૧૦-વી-૮૬૬૦ ને હડફેટે લઇ ફરીયાદીનાં ભાઇ કેશુભાઇને માથામાં ગંભીર ઇજાઓ પહોચાડી મોત નિપજાવી નાશી છૂટ્યો હતો.