જૂનાગઢ : ઘરે પડી જતા આધેડનું મોત

જૂનાગઢ : જૂનાગઢમાં ઘરે પડી જતા આધેડનું મોત થયું હતું. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભિખુભાઈ જગજીવનભાઈ રાઠોડ (ઉ.વ.૫૦ રહે.અંબીકાચોક,માતાજીના મંદીર વાળી ગલી પાસે,જૂનાગઢ) નામના આધેડ ગત તા.૨૩ના રોજ ઘરે પડી જતા માથાના ભાગે ઈજા થતા તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જૂનાગઢ સી ડિવિજન પોલીસે આ બનાવની અકસ્માતે મૃત્યુ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.