જૂનાગઢમાં પાચમાં માળેથી નીચે પટકાતા પ્રૌઢનું મોત

જૂનાગઢ : જૂનાગઢમાં પાચમાં માળેથી નીચે પટકાતા પ્રૌઢનું મોત નીપજ્યું હતું. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર અબ્દૂલ સત્તારભાઈ યુસુફભાઈ મહીડા (ઉ.વ.૫૪ રહે.ઢાલ રોળ,પાડાવાળા ચોક, જુનાગઢ) નામના આધેડ ગઈકાલે પાચમાં માળેથી કોઈપણ અગમ્ય કારણોસર પડી જતા માથાના ભાગે ઈજા થતા તેમનુ જૂનાગઢની સિવિલ હોસ્પીટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવની જૂનાગઢ પોલીસે નોંધ કરી મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.