જુનાગઢ : પેટના દુખાવાનો ઘરગથ્થુ ઉપચાર કારગત ન નીવડ્યો, વૃદ્ધનું મોત

જૂનાગઢ : જુનાગઢના ગાયત્રી સ્કુલ પાછ્ળ નીલંકંઢ નગર ઉમીયા પેલેસમાં રહેતા વૃદ્ધને પેટનો દુખાવો ઉપડતા ઘરગથ્થુ ઉપચાર કર્યો હતો. પણ આ ઘરગથ્થુ ઉપચાર કારગત ન નિવડતા તબીબી સારવાર મળે તે પહેલાં વૃદ્ધે પરલોકની વાટ પકડી હતી.

જૂનાગઢ બી ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાલજીભાઇ અંબાવીભાઇ નનાણીયા (ઉ.વ. ૭૪ રહે.ગાયત્રી સ્કુલ પાછળ નીલંકંઢ નગર બ્લોક નં. ૩૦૧ ઉમીયા પેલેસ જુનાગઢ) ને ગઈકાલે પેટમાં દુ:ખાવો ઉપડતા ઘરગથુ ઉપચાર કર્યો હતો.પણ સારુ ન થતા પ્રથમ તેઓને કે.જે. હોસ્પીટલ બાદમાં ડૉ. માકડીયાની હોસ્પીટલ જુનાગઢ ખાતે સારવારમાં લઇ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર અર્થે રીફર કરતા રીફર દરમ્યાન વીરપુર પહોચતા સીવીલ હોસ્પિટલ જુનાગઢ ખાતે લવાતા ફરજ પરના ડૉ. આશા મેડમે જોઇ તપાસી તેમનું મોત નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.