કેશોદમાં યુવાને આર્થીક સંકળામણથી કંટાળી જીવન ટૂંકાવ્યું

જૂનાગઢ : કેશોદમાં યુવાને આર્થીક સંકળામણથી કંટાળી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની કેશોદ પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર જયેશભાઇ ભાણાભાઇ બાબરીયા (ઉવ.૩૭ રહે. પ્રજાપતિ સોસાયટી એરપોર્ટ રોડ કેશોદ) એ આર્થીક સંકળામણના કારણે કંટાળીને પોતે પોતાની મેળે ઘરમાં પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ જતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.