માંગરોળમાં માનસીક બીમારીથી કંટાળી યુવકે ગળેફાંસો ખાધો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં માનસીક બીમારીથી કંટાળી યુવકે ગળેફાંસો ખાધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માંગરોળના ગોરી ફળીયુ લુહાર વાડા બંદરજાપ પાસે રહેતા અસલમભાઇ ઇસાભાઇ પીર (ઉ.વ. ૨૮) નામના યુવાનને છેલ્લા સાતેક વર્ષથી માનસીક બીમારી હોય જેની દવા ચાલુ હોય અને આ બીમારીથી કંટાળી જઇ પોતાની મેળે પોતાની ધરે ચુંદડી વડે ગળાફાસો ખાઇ લેતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી યુવકના આપઘાતના કારણને જાણવા તપાસ હાથ ધરી છે.