માંગરોળના સુલતાનપુર ગામેં ટાંકીમાં પાણી ભરતી વખતે ડૂબી જતાં યુવાનનું મોત

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના માંગરોળના સુલતાનપુર ગામેં ટાંકીમાં પાણી ભરતી વખતે ડૂબી જતાં યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ધીરૂભાઇ રાસીંગભાઇ ખેર (ઉ.વ. ૪૫ રહે.સુલતાનપુર તા. માંગરોળ) નામનો યુવાન વાડીએ પાણીની ટાંક માં પાણી ભરતો હતો. તે વખતે અકસ્માતે કુવામાં પડી જતા પાણીમાં ડુબી જતા તેનું મોત થયું હતું. આ બનાવની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.