જૂનાગઢ : રસોઈ બનાવતી વખતે દાઝેલી પરિણીતાનું મોત

જૂનાગઢ : જુનાગઢ તાલુકાના પાદરીયા ગામના સગરપરા વિસ્તારમાં રહેતી મંજુબેન મુકેશભાઇ કારેણા (ઉ.વ.આ.૪૨) નામની પરિણીતા ગત તા.૧૬ના રોજ પોતાના ઘરે ઘરના ફળીયામાં લાકડા વાળા ચુલા ઉપર રસોઇ બનાવતા હોય તે દરમ્યાન ચુલામાં કેરોસીન નાંખવા જતા ચુલામા આગનો ભડકો થતા આગની લપેટમાં આવી જતા શરીરે છાતી તથા મોઢાના ભાગે આગ લાગવાથી દાઝી જતા પ્રથમ સારવાર જુનાગઢ સીવીલ હોસ્પીટલે સારવાર મેળવી વધુ સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પીટલ દાખલ થતા તેમનું ગઇ તા.૩ ના રોજ રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.