પતિ અને સાસરિયાઓએ પરિણીતાને ત્રાસ આપ્યાની ફરિયાદ

સાવરકુંડલા ગામે બનેલા આ બનાવમાં હાલ જૂનાગઢના બિલખામાં પિયરમાં રહેતી પરિણીતાએ ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : જૂનાગઢના બિલખામાં હાલ પિયરમાં રહેતી પરિણીતા તેના સાવરકુંડલા ગામે સાસરિયે રહેતી હતી તે દરમિયાન તેણીને પતિ અને સાસરિયાઓએ ઘરકામ બાબતે શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

બીલખા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી પુનમબેન મનિષભાઇ રાઠોડ (ઉ.વ.૩૬ રહે. હાલ માંડણપરા તાબે.બિલખા તા.જી.જુનાગઢ) એ પતિ મનિષભાઇ વિનયચંદ્રભાઇ રાઠોડ, સસરા વિનયચંદ્રભાઇ ભીખાભાઇ રાઠોડ, જેઠ હિતેષભાઇ વિનયચંદ્રભાઇ રાઠોડ, સાસુ લાભુબેન વિનયચંદ્રભાઇ રાઠોડ, નણદ ભાવનાબેન વિનયચંદ્રભાઇ રાઠોડ (રહે.તમામ સાવરકુંડલા હાથસાણી રોડ વિદ્યુત નગર આંખની હોસ્પિટલ પાછળ તા.સાવરકુંડલા જી.અમરેલી) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા ૩૦/૦૬/૨૦૧૪થી આજદીન સુધી અવાર નવાર સાવરકુંડલા ગામે આરોપી પતિએ અન્ય આરોપીઓની ચઢામણીથી ફરીયાદીને ઘરકામ બાબતે શારીરીક માનસીક દુ:ખ ત્રાસ આપ્યો હોવાથી ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.