ગીર સોમનાથ મુકામે અતિથીગૃહનું લોકાર્પણ કરાયું

(કિશન વાળા)
માળીયા હાટીના : દ્વાદશ જ્યોતિર્લિંગ માહેના પ્રથમ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં નિર્માણ પામેલ આધુનિક અતિથિગૃહનું આજે પ્રધાનમંત્રીના હસ્તે વર્ચ્યુલી લોકાર્પણ કરાયું હતું.

આજરોજ ગીર સોમનાથ મુકામે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં નિર્માણ પામેલ અતિથિગૃહનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી જોડાયા હતા. તેમજ કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદી તથા રાજ્યકક્ષાનાં મંત્રી અરવિંદભાઈ રૈયાણી તેમજ જૂનાગઢ સંસદ રાજેશભાઇ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતાં .