જૂનાગઢ : એસિડ ગટગટાવી લેનાર વૃદ્ધાએ સારવાર દરમ્યાન દમ તોડ્યો

જૂનાગઢ : જૂનાગઢમાં એસિડ ગટગટાવી લેનાર વૃદ્ધાએ સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જુનાગઢના લીરબાઇપરા વિસ્તારમાં રહેતા રાણીબેન લખમણભાઇ બારૈયા ઉ.વ.૬૫ નામના વૃદ્ધાએ કોઇપણ અગમ્ય કારણોસર પોતે પોતાની મેળે એસીડી પી જતા તેઓનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.