માંગરોળના ગોરેજ ગામે માનસિક બીમારીથી કંટાળી યુવાને વખ ઘોળ્યું

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના માંગરોળના ગોરેજ ગામે માનસિક બીમારીથી કંટાળી યુવાને વખ ઘોળ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માંગરોળના ગોરેજ ગામે આવેલ ખડાયા વાડી વિસ્તારમાં રહેતા નયનભાઇ દેવાભાઇ સોલંકી (ઉ.વ.૩૫) નામના યુવાને ગઈકાલે માનસીક બીમારીના કારણે કંટાળી જઇ દવાના ટીકડા પી જતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.