જૂનાગઢના દોલતપરા માર્કેટિંગ યાર્ડની બાજુમા ક્સ્તુરબાગ કોલોનીમાં થયેલી મારમારીમાં ત્રણ સામે ફરિયાદ
જૂનાગઢ : જૂનાગઢના દોલતપરા માર્કેટિંગ યાર્ડની બાજુમા ક્સ્તુરબાગ કોલોનીમાં જુના મનદુઃખનો ખાર રાખી દંપતી ઉપર ધારીયાથી હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં ત્રણ શખ્સોએ દંપતી ઉપર હુમલો કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી દેવાયતભાઈ લખમણભાઈ મકવાણા (ઉ.વ.૫૨ રહે.ક્સ્તુરબાગ કોલોની દોલ્તપરા માર્કેટિંગ યાર્ડની બાજુમા જુનાગઢ) એ આરોપીઓ વિજયભાઈ આહીર, ભાવેશ, શયામભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી સાથે ગત તા.૧૮ના રોજ સવારમા બોલાચાલી થયેલ તેનુ મનદુખ રાખી ફરીયાદી તથા તેની પત્નીને આરોપીઓએ લાકડી તથા ધારિયુ મારીને ઇજા કરી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.