માંગરોળ બંદર વિસ્તારમાં યુવાનનો ઝેરી દવા પીને આપઘાત

જૂનાગઢ : જુનાગઢ જિલ્લાના માંગરોળ મરીન બંદર વિસ્તારમાં રહેતા યુવાને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મનોજ દામાભાઇ સુખડીયા (ઉ.વ ૨૫ રહે માંગરોળ બંદર) નામના યુવાને ગઈકાલે અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ બનાવની પોલીસે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.