તમારે આહીયા આવવાનુ નથી કહી યુવાનને છરીની અણીએ ધમકાવ્યો

જૂનાગઢના આંબેડકરનગર વિસ્તારમાં પાનની દુકાને થયેલી માથાકૂટની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢના આંબેડકરનગર વિસ્તારમાં પાનની દુકાને ઉભેલા યુવાનને એક શખ્સે તમારે આહીયા આવવાનુ નથી તેમ કહી છરીની અણીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રવીભાઇ રમેશભાઇ મેવાડા (ઉ.વ.૨૪ રહે. આંબેડકરનગર જુનાગઢ) એ આરોપી મલ્હાર રાવણભાઇ પરમાર (રહે.ધરાનગર જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી ગઈકાલે તેમના વિસ્તારમાં આવેલ આવડા પાનની દુકાને ઉભેલ હતા.ત્યારે આરોપીએ આવી ફરીયાદીને ગાળો બોલી તમારે આહીયા આવવાનુ નથી તેમ કહી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.