એકલવાયુ જીવનથી કંટાળી યુવાને જાત જલાવી

વીસાવદરના ગોકુળનગર બનેલી ઘટનાથી અરેરાટી

જૂનાગઢ : વીસાવદરના ગોકુળનગરમાં રહેતા યુવાને એકલવાયુ જીવનથી કંટાળી જાત જલાવી લેતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવથી તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.

વીસાવદરના ગોકુળનગરમાં રહેતા
મુકેશભાઇ ગાંડુભાઇ વાઘેલા (ઉ.વ. ૪૦) નામના યુવાને ગઈકાલે અગ્નિસ્નાન કરી લઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પોલીસના જણાવ્યા મુજબ મૃતક યુવાન એકલવાયુ જીવન પસાર કરતા હોય જેથી કંટાળી જઇ પોતે પોતાની મેળે સળગી જતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.