જૂનાગઢમાં JMC સર્કલનું રિનોવેશન કરી ચોકમાં જલારામ બાપાની પ્રતિમા મુકવા આવેદન

આ ચોકનું નામકરણ જલારામ બાપાના નામ પરથી કરવા માંગ

જૂનાગઢ : જૂનાગઢના વોર્ડ નં. 11માં આવેલ જે.એમ.સી. સર્કલના નવીનીકરણ બાબતે તથા આ ચોકનું નામ સંત જલારામ બાપાના નામથી રાખવામાં આવે તથા ચોકમાં તેમની પ્રતિમા મુકવા બાબતે અખિલ સૌરાષ્ટ્ર – કચ્છ રઘુવીર સેનાના જૂનાગઢ શહેરના પ્રમુખ અશોકભાઈ સીરોદરીયા તથા રોયલ પાર્ક કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીના પ્રમુખ મનોજભાઈ પોપટ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશ્નરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

 

આ આવેદનપત્રમાં જણાવાયું છે કે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જલારામ સોસાયટીમાં નિલધારા એપાર્ટમેન્ટની સામે એક સર્કલ બનાવવામાં આવેલ હતું. જે તે સમયે તત્કાલીન કમિશ્નર તથા કલેકટર સ્વ. રોહિત પાઠક દ્વારા આ સર્કલ બનાવવામાં આવેલ તે પછી આ સર્કલ ખુબ જ જર્જરીત હાલતમાં થઇ ગયેલ છે. આ વિસ્તારના લોકો દ્વારા અનેક વખત રજુઆત કરવા છતા નવીનીકરણમાં આવેલ નથી. તો તેનું રિનોવેશન કરવામાં આવે.