ઉત્તરાયણમાં ભત્રીજીને રોકાવવાની ના પાડતા કાકા પંખે લટકી ગયા

જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં બનેલી ઘટનાથી પરિવારમાં અરેરાટી

જૂનાગઢ : જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં ઉતરાયણ કરવા આવેલી ભત્રીજીને વધુ દિવસો સુધી પરિવારજનોએ રોકાવવાની ના પાડતા આ બાબતે લાગી આવવાથી કાકાએ પંખે લટકી જઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવથી તેમના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.

જૂનાગઢ બી ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢના જોષીપરા વિસ્તારમાં રહેતા સંજયભાઇ નાનજીભાઇ સરવૈયા (ઉ.વ.૩૦) એ ગઈકાલે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે જૂનાગઢ બી ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કે, મૃતક પોતાની ભત્રીજી ઉતરાણ કરવા આવેલ હોય અને તેનો ભાઇ અલગ રહેતો હોય અને તેની ભત્રીજી જીયા બહુ વ્હાલી હોય અને ઘરે રોકાવવા ન દેતા લાગી આવતા ઘરે રૂમમાં પંખા સાથે મફરલ બાંધી ગળે ગાળીયો નાખી ગળેફાસો ખાઇને આ અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવની પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.