માનસિક ટેન્સનથી કંટાળી પરિણીતાએ ગળેફાંસો ખાધો

જૂનાગઢની સુદામાપાર્ક સોસાયટીમાં બનેલી ઘટના

જૂનાગઢ : જૂનાગઢની સુદામાપાર્ક સોસાયટીમાં રહેતી પરિણીતાએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવમાં પોલીસની પ્રાથમિક તપાસમાં માનસિક ટેન્સનથી કંટાળી પરિણીતાએ ગળેફાંસો ખાધો હોવાનું સામે આવ્યું છે.

જૂનાગઢ સી ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢની મધુરમ સુદામાપાર્ક-૨ સોસાયટીમાં રહેતી રેવતીબેન ભીમાભાઇ ડાંગર (ઉ.વ ૪૫) નામની પરિણીતાએ ગઈકાલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને મોતની સોડ તાણી લીધી હતી. આ બનાવ અંગે જૂનાગઢ સી ડીવીજન પોલીસે જણાવ્યું હતું કે,મૃતક પોતાને ૧૫ દિવસથી માનસિક ટેન્શનમા હોય જેથી હતાશામાં આવી જઈને તેઓએ પોતે પોતાના ધરે ચુંદડી વડે પંખા સાથે ગાળા ફાસો ખાઇને આ અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.