કેશોદમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા ત્રિપુટીએ આધેડને માર્યા

જૂનાગઢ : કેશોદના ઈન્દીરાનગર ધાર તરીકે ઓળખાતા વિસ્તારમાં ઘર પાસે મોટા અવાજે ગાળો બોલતા શખ્સોને ગાળો બોલવાની ના પાડતા ત્રિપુટીએ આધેડને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ કેશોદના ઈન્દીરાનગર ધાર વિસ્તારમાં એન.પી. કોલેજ સામે રહેતા રમેશભાઇ ખીમાભાઇ ચાવડાના ઘર નજીક આરોપી પોપટભાઇ સોલંકી, રમણીકભાઇ સોલંકી અને શાંન્તીભાઇ સોલંકી અંદોર અંદર મોટા અવાજે ભુંડી ગાળો બોલતા હોય જેથી રમેશભાઈએ ગાળો બોલવાની ના પાડતા ત્રણેય આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ જઇ રસ્તા ઉપર પડેલ પથ્થર લઇ છુટો ઘા ફરી માથાના ભાગે ઇજા કરી ઢીકાપાટુનો મુંઢ માર મારતા રમેશભાઈએ કેશોદ પોલીસ મથકમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો છે.