જૂનાગઢ જિલ્લામાં નવા 41 કોરોના પોઝિટિવ : 54 દર્દીઓ સાજા થયા

જૂનાગઢ જિલ્લામાં કોરોના હળવો પડ્યાના અણસાર વચ્ચે શહેરમાં નવા 32 કેસ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામા આજે કોરોના હળવો પડ્યો હોય તેમ સંક્રમણ ઘટતા નવા 41 પોઝિટિવ કેસ સામે આવ્યા છે તો બીજી તરફ 54 દર્દીઓએ કોરોનાને હરાવતા ડિસ્ચાર્જ કરાયા છે.

જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આજે જૂનાગઢ જિલ્લામાં કુલ 41 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં જૂનાગઢ શહેરમાં 32, જુનાગઢ ગ્રામ્યમાં 4, કેશોદ, મેંદરડા અને વંથલીમાં એક -એક અને વિસાવદરમાં બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

દરમિયાન જૂનાગઢ જિલ્લામાં આજે નવા 41 પોઝિટિવ કેસ સામે 54 દર્દીઓએ કોરોનાને હરાવતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું. આજે આરોગ્ય વિભાગ દ્વારા 46 ધન્વંતરી રથ દ્વારા 5144 દર્દીઓની ચકાસણી કરી હતી સાથો સાથ જૂનાગઢ ગ્રામ્ય અને શહેરમાં મળી કુલ 4068 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.