આ રસ્તે પાછા આવશો તો જાનથી મારી નાખશું

કેશોદના ખમીદાણા ગામે આધેડને બે શખ્સોએ ધમકી આપી

જૂનાગઢ : કેશોદના ખમીદાણા ગામે રહેતા આધેડને બે શખ્સોએ આ રસ્તેથી પાછા નીકળશો તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપતા કેશોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

કેશોદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ ખમીદાણા ગામે રહેતા દેવાયતભાઇ માલદેભાઇ બારીયા ઉ.વ.૪૬ને ખમીદાણા ગામના જ ભાવેશભાઇ દિપકભાઇ ગોંડલીયા અને જયેશભાઇ દિપકભાઇ ગોંડલીયાએ જેમ ફાવે તેમ ગાળો આપી ફરી વખત આ રસ્તે પાછા આવશો તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપતા દેવાયતભાઈએ કેશોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ . ૨૯૪(ખ), ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.