ખારા નદી કાંઠે સરકારી જમીન ઉપર મકાન તૂટતા વૃધ્ધાને લાગી આવ્યું
જૂનાગઢ : માણાવદર ગામે ખારા નદીના કાંઠે રિવર ફ્રન્ટ બનતા સરકારી જમીનમાં મકાન બનાવી રહેતા વૃદ્ધાનું મકાન તોડી પડાતા લાગી આવવાથી વૃદ્ધાએ એસિડ પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ સરકાર દ્વારા માણાવદર ગામે ખારા નદી ઉપર રિવરફ્રન્ટનું કામ કરવા દરમિયાન દવુબેન નાનુભાઈ સોલંકી ઉ.વ.૭૦નું મકાન તોડી પાડતા વૃદ્ધાને લાગી આવ્યું હતું અને તેઓએ એસિડ પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.