ચારિત્ર્ય બાબતે ખોટી શંકા કરી પતિએ પત્નીને માર માર્યો

જૂનાગઢના વિસાવદર ખાતેની ઘટનામાં પત્નીએ પતિ તેમજ સાસરિયા સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : જૂનાગઢના વિસાવદરમાં ચારિત્ર્ય બાબતે ખોટી શંકા કરી પતિએ પત્નીને માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પત્નીએ પતિ તેમજ સાસરિયા સામે શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની વિસાવદર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી શોભનાબેન યોગેશભાઇ ચૌહાણ (રહે. દાદર (ગીર) વણકરવાસ તા.વિસાવદર હાલ વિસાવદર હનુમાનપરા સતાધાર રોડ તા.વિસાવદર) એ આરોપીઓ યોગેશભાઇ બીજલભાઇ ચૌહાણ (પતિ), બીજલભાઇ ભીખાભાઇ ચૌહાણ (સસરા), મંજુબેન બીજલભાઇ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી હતી કે,આરોપી સાસરિયાઓએ ફરીયાદીને ઘરના કામકાજ તેમજ ચારીત્ર બાબતે ખોટા કાનભંભરામણી તેમજ ચડામણી કરતા આરોપી પતિએ ફરીયાદીને ગાળો કાઢી અવાર નવાર શરીરે ઢીકાપાટુનો વ્યથા સ્વરૂપનો માર મારી શારીરીક અને માનસીક દુઃખત્રાસ આપ્યો હતો.પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.