ઘરકામ મામલે પતિ અને સાસરિયાએ પરિણીતાને ત્રાસ આપ્યો

હાલ જૂનાગઢના માણાવદરમાં પિયરે રહેતી પરિણીતાએ તેના વડોદરા ખાતે રહેતા પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : ઘરકામ મામલે પતિ અને સાસરિયાએ પરિણીતાને ત્રાસ આપ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં હાલ જૂનાગઢના માણાવદરમાં પિયરે રહેતી પરિણીતાએ તેના વડોદરા ખાતે રહેતા પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે.

બાંટવા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ટીનાબેન નિશિતભાઇ સંઘાણી (ઉ.વ.૨૨ રહે.બાંટવા ઠે.ભીમનાથ રોડ તા.માણાવદર જી.જુનાગઢ) એ આરોપીઓ નિશિતભાઇ બીપીનભાઇ સંઘાણી (પતિ), બીપીનભાઇ વલ્લભભાઇ સંઘાણી ( સસરા) ભાવનાબેન બીપીનભાઇ ( સાસુ, રહે.બઘા.વડોદરા વડસર રોડ બીરલા બોગ સ્કુલ ની સામે રાઘે રેસીડન્ટ બ્લોક નં.A/૫૦૩) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીને આરોપીઓએ આજથી એક વર્ષ પહેલા આરોપી પતિ તથા સસરા અને સાસુએ ફરીયાદીને ઘરકામ બાબતે અવાર નવાર મેણા ટોણાઓ મારી ઘરકામ સબબ શારીરીક માનસિક દુ.ખ ત્રાસ આપી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.